પન્નાલાલ પટેલ (Pannalal Patel)
પન્નાલાલ પટેલ
પન્નાલાલ પટેલ
→ નામ : પન્નાલાલ નાનાભાઈ પટેલ
→ બિરુદ : “સાહિત્યજગતના ચમત્કાર”
→ જન્મ : ઈ.સ. 1912માં
→ જન્મ સ્થળ: માંડલી, ડુંગરપુર, રાજસ્થાન
→ અવસાન : ૬ એપ્રિલ ૧૯૮૯ના રોજ અમદાવાદમાં બ્રેઈન હેમરેજથી તેમનું અવસાન થયું હતું.
વિશેષતા
→ 1950 ના વર્ષનો ગુજરાત વિદ્યાસભા તરફથી “રણજિતરામ સુવર્ણચંદ્રક"
→ 1980 માં વડોદરા- ગુજરાતી સાહિત્ય પરિષદના 30 માં અધિવેશનમાં સર્જન વિભાગના અધ્યક્ષ
→ 1985ના વર્ષનો સાહિત્ય માટેનો સર્વોચ્ચ “ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર”
નવલકથા
→ અજવાળી રાત અમાસની (૧૯૧૭) ,અંગારા, આંધી અષાઢની (૧૯૬૪, એક અનોખી પ્રીત,કચ – દેવયાની, કંકુ (૧૯૭૦), ગલાલસિંગ, ઘમ્મર વલોણું ભા.૧-૨ (૧૯૬૮), જિંદગી સંજીવની (આત્મકથાનક નવલકથા) , નગદ નારાયણ, નથી પરણ્યાં નથી કુંવારા, નવું લોહી (૧૯૫૮), નાછૂટકે (૧૯૫૫, પડઘા અને પડછાયા (૧૯૬૦) , પાછલે બારણે, પાર્થને કહો ચડાવે બાણ, પ્રણયના જૂજવ, ભાંગ્યના ભેરું (૧૯૫૭), ભીરુ સાથી (૧૯૪૩), મટકલાલ, મનખાવતાર (૧૯૬૧), મળેલા જીવ , માનવીની ભવાઈ (ઈ.સ. 1985માં જ્ઞાનપીઠ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.) , મીણ માટીના માનવી (૧૯૬૬) , યૌવન -ભા.૧-૨ (૧૯૪૪), વળામણાં, સુરભિ,કરોળિયાનું જાળું (૧૯૬૩)
નાટક
→ જમાઈરાજ, સપનાના સાથી , અલ્લડ છોકર, ભૂણે નરસૈયો, વૈતરણીના કાંઠે, ઢોલિયા સાગ સીસમના, ચાંદો શે શામળો , ચિંતન , પૂર્ણયોગનું આચમન , આત્મકથા,અલપ ઝલપ ,અલકમલક , નવલિકા, પાનેતરના રંગ , સુખ-દુ:ખના સાથી, જિંદગીના ખેલ, વાત્રકને કાંઠે , ઘરનું ઘર, જીવો દાંડ, છણકો, પીઠીનું પડીકું, ઓરતા , ત્યાગી અનુરાગી, પારેવડાં,બાળ સાહિત્ય, પરીક્ષા, એક ખોવાયેલો છોકરો , અલપઝપલ , ગુરુદક્ષિણા, આંખ આડાકાન, વાર્તાકિલ્લોલ, બાળકિલ્લોલ, લોકમિનારા, ભીષ્મ,મહાભારત,રામાયણ અને શ્રીકૃષ્ણની કિશોરકથાઓ
જાણીતી પંક્તિઓ
→ વાહ રે માનવી, તારું હૈયું ! એક પા લોહીના કોગળાને, બીજી પા પ્રીતના ઘૂંટડા
→ મનના મોરલા મનમાં જ રમાડવા અને મનખો પૂરો કરવો
→ માનવી ભૂંડો નથી, ભૂખ ભૂંડી છે, અને એથીયે ભૂંડી ભીખ રે
→ મેલું છું ધરતી ખોળે ખેલતો,મારી માટીના મોંઘેરો મોર
0 Comments