માઇકલેન્જેલો | Michelangelo
માઇકલેન્જેલોની
માઇકલેન્જેલોની
→ જન્મ : 6 માર્ચ, 1475 (ઇટાલીના ફ્લોરેન્સના કેપ્રેસ ખાતે).
→ અવસાન : 18 ફેબ્રુઆરી, 1564 (રોમ).
→ ઇટાલીના પ્રખ્યાત ચિત્રકાર, શિલ્પકાર, વાસ્તુકાર અને કવિ .
→ તેમણે મૂર્તિકલામાં અનહદ રસ લઇને મૂર્તિ નિર્માણ પ્રવૃત્તિને જીવનનો એકમાત્ર ધ્યેય બનાવ્યો હતો..
→ બાળ અવસ્થાથી જ માઈકલનું મન હંમેશા મૂર્તિઓમાં કેન્દ્રિત રહેતું હતું. .
→ વર્ષ 1488માં તેઓને ચિત્રકાર ડોમેનિકો ધીરલાન્ડઈઓએ તાલીમ આપી હતી. ત્યાર પછી તેમણે ફ્લોરેન્સમાં લોરેન્ઝો ડી' મેડિસીના ઘરે રહીને તાલીમ લીધી હતી..
→ માઇકલ નવજાગૃતિ સમય દરમિયાન સ્થળાંતર કરતા આખરે રોમમાં સ્થાયી થયા હતા. .
→ તેમણે વર્ષ 1499માં 'પીએટા' અને વર્ષ 1504માં 'ડેવિડ' નામની શિલ્પકૃતિનું નિર્માણ કર્યું હતું..
→ તેમની જાણીતી કૃતિઓમાં સિસ્ટિન ચાપેલ સીલિંગ, ધ ક્રિએસન ઓફ આદમ, મેડોના ઓફ બ્રગસ અને ધ ડિપોઝિશનનો સમાવેશ થાય છે..
→ તેઓ મૂર્તિકલાની મેનરિઝમ શૈલી માટે જાણીતા હતા. .
→ તેમની ખ્યાતિ સાંભળી પોપ દ્રિતીય જુલિયસે પોતાના અંતિમ વિશ્રામના મકબરા માટે મૂર્તિઓ બનાવવાનું કામ સોંપ્યું હતું. .
→ તેઓ વ્યક્તિગત જીવનમાં ખાન-પાનમાં નીરસ, ઉદાસીન અને એકલવાયું જીવન જીવતા હતાં. .
→ તેમને રાજ્ય અને ધર્મ સંસ્થાઓનો સથિયારો ન મળવા છતાં મૂર્તિકલાના ક્ષેત્રે શ્રેષ્ઠ કારીગરી દાખવી હતી..
0 Comments