Chaitanya Mahaprabhu (ચૈતન્ય મહાપ્રભુ)
ચૈતન્ય મહાપ્રભુ
ચૈતન્ય મહાપ્રભુ
→ જન્મ : 1486 (ફાગણ સુદ પૂનમ) (પશ્ચિમ • બંગાળ)
→ અવસાન : 1534 (ઓડિશા)
→ મૂળ નામ : વિશ્વંભર મિશ્રા
→ માતા : શચી દેવી
→ ગુરૂ: કેશવભારતી
→ પિતા : જગન્નાથ મિશ્રા
→ તેમની પહેલી પત્નીનું નામ ‘લક્ષ્મીદેવી’ હતું જેના મૃત્યુ પછી તેમણે ‘વિષ્ણુપ્રિયા’ સાથે લગ્ન કર્યાં.
→ તેમને બંગાળમાં આધુનિક વૈષ્ણવવાદ (ગૌડિય વૈષ્ણવ ધર્મ)ના સંસ્થાપક માનવામાં આવે છે.
→ તેમણે હરિ બોલ નો મંત્ર આપ્યો હતો.
→ તેઓ નિમાઈ પંડિત તરીકે પણ ઓળખાતા હતા
→ તેઓ અચિંત્ય ભેદ અભેદ પરંપરાના સ્થાપક હતા.
→ તેમણે ગોસાઈ સંઘની સ્થાપના કરીને સંકીર્તન પ્રથા શરૂ કરી હતી.
→ તેઓ હરે રામ હરે કૃષ્ણની ધૂન લગાવતા નગરમાં ફરતાં.
→ તેમના લીધે પૂર્વ ભારતમાં કૃષ્ણભક્તિનું મોજું ફરી વળ્યું.
→ તેઓ નાતજાતના ભેદોનો વિરોધ કરતાં, પ્રભુના નામ, સ્મરણ અને કિર્તનમાં મસ્ત રહેવા અનુરોધ કર્યો.
→ તેમણે કૃષ્ણની પ્રેમભકિત અને સંકીર્તનનો ઉપદેશ આપ્યો હતો.
→ તેમના ચિંતન વિશે કવિ કૃષ્ણદાસ રચિત ચૈતન્ય ચરિત્રામૃત ગ્રંથ જાણીતો છે.
ચૈતન્ય મહાપ્રભુનાં નામો
→ શ્રી કૃષ્ણ ચૈતન્ય મહાપ્રભુ
→ ગૌર ચાંદ
→ ગૌર હરિ
→ શચિસુત
→ નિમાઈ
0 Comments