સવાઈ જયસિંહ બીજા | Sawai Jai Singh II

સવાઈ જયસિંહ બીજા
સવાઈ જયસિંહ બીજા

જયપુર નગરના સ્થાપક
→ જન્મ : 3 નવેમ્બર, 1688 (રાજસ્થાન, આમેર)

→ અવસાન : 21 સપ્ટેમ્બર, 1743 (જયપુર)

→ તેઓ કછવાહા (કુશવાહા) વંશના સૌથી પ્રતાપી શાસક હતાં.

→ તેમના પિતા મહારાજા બિશનસિંહનું નિધન થતાં તેઓ 11 વર્ષની ઉંમરે આમેરના રાજા બન્યા હતાં.

→ તેમણે સવાઈ, સરમદે - રાજ રાજા-એ - હિંદ, રાજરાજેશ્વર, શ્રીરાજાધિરાજ જેવાં બિરૂદો ધારણ કર્યા હતાં.

→ તેમને સવાઈ (એક વ્યકિત કરતા પા ગણા મોટા)નું બિરુદ મોગલ બાદશાહ ઓરંગઝેબે આપ્યું હતું.

→ તેમણે વર્ષ 1727માં નિયોજન અને વાસ્તુકલાના અદ્ભૂત નમૂના સમાન જયપુર (સવાઈ જયનગર)ની સ્થાપના કરી હતી.

→ તેમને જ્યોતિષ અને વિજ્ઞાનમાં પુષ્કળ રસ હોવાથી તે અંગેનું અધ્યયન અને સંશોધન કર્યુ હતું.

→ તેમણે જીજ મુહમ્મદશાહ નામનું પુસ્તક લખ્યુ હતું તથા જયવિનોદ પંચાગ અને સમ્રાટ સિદ્ધાંતની રચના કરી હતી.

→ તેમણે કાશી (હાલના વારાણસી), દિલ્હી, ઉજ્જૈન, મથુરા અને જયપુર ખાતે વેઘશાળાઓ સ્થાપી હતી.

→ તેઓ સંસ્કૃત, મરાઠી, તુર્કી, ફારસી, અરબી જેવી અનેક ભાષાઓના જ્ઞાની હતાં.

→ તેમણે હિન્દુઓ પર લગાવવામાં આવતો જજિયા વેરો સમાપ્ત કર્યો હતો. આ ઉપરાંત તેમણે દહેજ પ્રથા નાબૂદી અને વિવિધ ધાર્મિક સુધારા તેમજ સમાજ સુધારણાના કાર્યો કર્યા હતા.


→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments