ભારતને સેવાક્ષેત્ર બનાવીને થિયૉસોફિસ્ટ, સમાજસુધારક અને કેળવણીકાર તરીકે સેવા આપનાર અંગ્રેજ મહિલા. ઍની બેસન્ટનો જન્મ આયરિશ કુટુંબમાં થયો હતો.
→ જન્મ : 1 ઓક્ટોબર, 1847 (કલ્ફમ, લંડન)
→ અવસાન : 20 સપ્ટેમ્બર, 1933 (અડિયાર, ચેન્નાઈ)
→ બિરુદ : વસંતદેવી (ગાંધીજી દ્વારા), માં વસંત
→ પૂરું નામ : એની વુડ બેસન્ટ
→ સ્વાતંત્રતા સેનાની, હોમરૂલ લીગના સ્થાપક અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અધિવેશનના સૌપ્રથમ મહિલા અધ્યક્ષ
→ તેઓ લેખન-વાંચન, સ્વતંત્ર વિચારો તેમજ અભિવ્યક્તિ માટે જાણીતા હતાં.
સ્વાતંત્રતા સંગ્રામમાં યોગદાન
→ અંગ્રેજ મહિલા એની બેસન્ટ વર્ષ 1889માં ઇંગ્લેંડમાં થિયોસોફિકલ સોસાયટીમાં જોડાયા હતાં ત્યારબાદ ભારતીય સંસ્કૃતિ તરફમાં આદરભાવના કારણે વર્ષ 1893માં ભારત આવ્યા.
→ વર્ષ 1907માં કર્નલ આલ્કોટના અવસાન પછી થિયોસોફિકલ સોસાયટીના સભ્ય અને અધ્યક્ષ બન્યાં હતાં.
→ તેમણે મદ્રાસમાં સપ્ટેમ્બર, 1916માં હોમરૂલ લીગની સ્થાપના કરી હતી. જેનો ઉદ્દેશ્ય બંધારણીય માર્ગે સ્વરાજ મેળવવાનો હતો.
→ તેમણે આયર્લેન્ડની પદ્ધતિ પ્રમાણે રાજનૈતિક સ્વતંત્રતાની પ્રાપ્તિ માટે ભારતમાં પણ વર્ષ 1916માં હોમરૂલ આંદોલન શરૂ કર્યું હતું.
→ તેઓ ડિસેમ્બર, 1917માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કલકત્તામાં ભરાયેલા અધિવેશનમાં સૌપ્રથમ મહિલા અધ્યક્ષ બન્યાં હતાં.
→ તેઓએ પ્રાચીન ભારતીય સાહિત્યનો અભ્યાસ ક્યોં અને ભારતીય સમાજમાં ભારતીય દ્રષ્ટિકોણથી સુધારાનાં અભિગમ સાથે થિયોસોફિકલ આંદોલનનો પ્રારંભકર્યો હતો.
→ તેમણે ન્યૂ ઇન્ડિયા દૈનિક અને કોમનવિલ સાપ્તાહિક નામની પત્રિકાઓ પણ શરૂ કરી હતી તેમજ તેઓ નેશનલ રીફોર્મર અને યુનાઇટેડ ઇન્ડિયા સામાયિક સાથે સંકળાયેલા હતા.
→ તેમણે બ્રિટીશ સરકારને હિંદને જવાબદાર રાજ્યતંત્ર અને સ્વરાજ વહેલી તકે આપવા અનુરોધ કર્યો હતો.
→ વર્ષ 1893માં ભારતીય સંસ્કૃતિ તરફના આદર ભાવને કારણે ભારત આવ્યા બાદ તેમણે બનારસમાં 5 વર્ષ રોકાઈ શાંતિકુંજ નામે તપોવન બનાવ્યું હતું.
→ તેમણે બનારસમાં રહીને જ રામાયણ તથા મહાભારતની કથાઓ તેમજ ગીતાનું ભાષાંતર કર્યું હતું.
→ તેઓએ પાશ્ચાત્ય ભૌતિક્વાદની આલોચના કરી હતી અને પ્રાચીન હિન્દુ સભ્યતાને શ્રેષ્ઠ સાબિત કરી હતી. તેઓ પ્રવચન કરતાએ પુર્વે ઓમ નમઃ શિવાય બોલતા હતાં.
→ તેમણે બાળલગ્ન તથા જાતિય ભેદભાવ જેવા સામાજિક કલંકોને દૂર કરવા માટે સન્સ ઓફ ઇન્ડિયા અને ડોટર્સ ઓફ ઇન્ડિયા જેવી સંસ્થાઓ શરૂ કરી હતી.
→ તેમણે વર્ષ 1895માં ભગવદગીતાનું અંગ્રેજી ભાષામાં Lord's song નામે અનુવાદ કર્યું હતું.
→ તેમણે વર્ષ 1898માં મદનમોહન માલવિયાના સહયોગથી કાશીમાં કેન્દ્રીય 6 વિશ્વવિધાલયની સ્થાપના કરી હતી, જે પાછળથી બનારસ હિંદુ વિશ્વવિધાલય નામે જાણીતી થઇ.
→ તેઓ વર્ષ 1917માં વુમેન્સ અધ્યક્ષ ઈન્ડિયા એસોસિયેશનના પ્રથમ અધ્યક્ષ બન્યા હતા.
0 Comments