કવિ, નાટ્યકાર, વિવેચક અને સંપાદક સિતાંશુ યશશ્ચંદ્ર
→ જન્મ : 18 ઓગસ્ટ, 1941 (ભૂજ, કચ્છ)
→ પૂરું નામ : સિતાંશુ યશશ્ચન્દ્ર મહેતા
→ ગુજરાતી આધુનિક સાહિત્યના પરાવાસ્તવવાદી વિચારધારાના પ્રેરક, કવિ, નાટ્યકાર, વિવેચક અને સંપાદક
→ તેમણે મુંબઇની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે B.A.ની ડિગ્રી અને એ જ વિષયો સાથે વર્ષ 1965માં M.A.ની ડિગ્રી મેળવી હતી.
→ તેઓ વર્ષ 1968માં ફૂલબ્રાઇટ સ્કોલરશીપ સાથે અમેરિકા ગયા હતા.
→ વર્ષ 1970માં સૌંદર્યશાસ્ત્ર અને તુલનાત્મક સાહિત્યમાં M.A. ની ઉપાધિ મેળવી હતી.
→ તેઓએ ડો. ન્યૂટન પી. સ્ટોલનેસ્ટના માર્ગદર્શન હેઠળ નાટ્યાચાર્ય ભરતની અને ફિલસૂફ કાન્ટની પરંપરામાં કલાસ્વરૂપનો વિભાવ વિષય પર વર્ષ 1975માં પી.એચ.ડી. નો મહાનિબંધ લખ્યો હતો.
→ તેમણે આયોનેસ્કોના મેકબેથ નાટકને ગુજરાતીમાં ઉતારીને શેક્સપિયરના મેકબેથ નાટક સાથે તેનો તુલનાત્મક અભ્યાસ કર્યો હતો.
→ તેઓ વર્ષ 1977માં રામપ્રસાદ બક્ષીના માર્ગદર્શન હેઠળ રમણીયતાનો વાગવિકલ્પ વિષય પર મુંબઈ યુનિવર્સિટીમાંથી પી.એચ.ડી. થયા હતા.
→ તેઓ યુરોપિયન સાહિત્યની દંતકથા અને ભારતીય સંકલ્પનાનો આધાર લઈને કવિતાની રચના કરે છે તેમજ ગુજરાતી ભાષાની સાથે-સાથે અંગ્રેજી અને સંસ્કૃતનો પ્રભાવ તેમના સાહિત્યમાં જોવા મળે છે.
→ ઓડીસ્યુસનું હલેસું એ તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ છે.
→ તેઓ એમ.એસ.યુનિવર્સિટીમાં ગુજરાતી વિભાગના પ્રોફેસર અને અધ્યક્ષ તરીકે સેવા બજાવી હતી.
→ તેમણે પ્રબોધ પરીખ સાથે મળીને સંદર્ભ સામાયિકનું સંપાદન કર્યું હતું. આ ઉપરાંત તેઓ ફાર્બસ ત્રિમાસિકના પણ સંપાદક રહ્યા છે.
→ તેઓ વર્ષ 1972-77 દરમિયાન મુંબઈની મીઠીબાઈ આર્ટ્સ કોલેજમાં ગુજરાતી વિષયના અધ્યાપક તરીકે રહ્યા હતા તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઉપકુલપતિ તરીકે સેવા બજાવી છે.
→ તેઓએ વર્ષ 1977માં દિલ્હી સાહિત્ય અકાદમી તરફથી તૈયાર થયેલ ભારતીય સાહિત્યના જ્ઞાનકોષમાં મુખ્ય સંપાદક તરીકે અમૂલ્ય ફાળો આપ્યો હતો.
→ તેમણે વર્ષ 1993માં હિન્દીફિલ્મ માયા મેમસાહેબની અભિનય વાર્તા લખી હતી જે ગુસ્તાવ ફ્લોબર્ટની મેડમ બોવરી પર આધારિત હતી.
→ તેઓ વર્ષ 2017 થી 2020 સુધી ગુજરાતી સાહિત્ય પરિષદના અધ્યક્ષ (51માં) રહ્યા હતા.
→ તેમણે કેટલીક કવિતાઓ, નાટકો અને વિવેચનનો અંગ્રેજીમાંથી ગુજરાતીમાં અનુવાદ કરેલો છે અને તેમના ગુજરાતી પુસ્તકોનો હિન્દી તથા અન્ય ભાષાઓમાં અનુવાદ થયેલ છે.
0 Comments