→ રૂબિન ડેવિડનો જન્મ અમદાવાદના યહુદી પરિવારમાં થયો હતો.
→ તેઓ નાનપણથી જ પ્રાણીઓ અને વનસ્પતિઓ વિશે જાણવામાં રસ ધરાવતા હતા.
પર્યાવરણ ક્ષેત્રે યોગદાન
→ વર્ષ 1951માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને તેમને પ્રાણીસંગ્રહાલય બનાવવા આમંત્રિત કર્યા હતા.
→ તેમણે કાંકરિયા પ્રાણી સંગ્રહાલય, બાલવાટિકા અને નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમની રચના કરી હતી.
→ આ પ્રાણી સંગ્રહાલય હવે કમલા નહેરૂ ઝૂઓલોજિક્લ ગાર્ડન અને બાલવાટિકાને ચાચા નહેરુ બાલવાટિકા તરીકે ઓળખવામાં આવે છે.
→ પ્રાણી સંગ્રહાલયની અંદર આવેલા નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમને રૂબિન ડેવિડની સ્મૃતિમાં રૂબિન ડેવિડ નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમ નામ આપવામાં આવ્યું છે.
→ અમદાવાદના સુંદરવન અને ગાંધીનગરના ઇન્દ્રોડા પાર્કના વિકાસમાં પણ તેમનું મહત્વપૂર્ણ યોગદાન હતું.
→ રૂબિન ડેવિડ મગર,ફ્લેમિંગો અને સફેદ પક્ષીઓ અને પ્રાણીઓના સંવર્ધન માટે જાણીતા હતા.
→ વર્ષ 1975માં ભારત સરકારે તેમને પદ્મશ્રી પુરસ્કારથી કર્યા હતા. આ સિવાય તેમને વિશ્વ ગુર્જરી એવોર્ડ, રોટરી એવોર્ડ અને દધીચિ એવોર્ડ વગેરે જેવા અનેક પૂરસ્કારો પ્રાપ્ત થયા હતા.
→ ઓસ્ટ્રેલિયન એન્થ્રોપોલોજિસ્ટ (Anthropologist) કોલિન ગ્રોવર્સે વર્ષ 1981માં પ્રાગૈતિહાસિક વોર્થોગની (એક પ્રકારનું જંગલી ભૂંડ) શોધ કરી હતી અને તેનું નામ રુબિન ડેવિડના સન્માનમાં સુસ સ્ક્રોફા ડેવિડી (Sus Scrofa Davidi) રાખ્યું હતું.
→ તેમના જીવન આધારિત આત્મકથનાત્મક નવલકથા પિંજરની આરપાર (1990)ના જાણીતા લેખક માધવ રામાનુજ દ્વારા લખવામાં આવી હતી.
→ તેમણે એમ.એ રશીદ સાથે મળીને ગીરના સિંહો વિશે ધ એશિયાટિક લાયન પુસ્તક લખ્યું હતું.
0 Comments