→ પ્રજાભિમુખ, બાહોશ શાસક અને ફિલોસોફર રાણી (Philosopher Queen) તરીકે જાણીતા ઇન્દોરના માળવા પ્રાંતના મહારાણી અહલ્યાબાઈ હોલ્કર
→ મરાઠા સામ્રાજ્યના પેશ્વા બાજીરાવ પ્રથમના સૂબા મલ્હારરાવ હોલ્કરે અહલ્યાબાઇની પ્રતિભાથી પ્રભાવિત થઇને તેમણે પોતાના પુત્ર ખંડેરાવના લગ્ન અહલ્યાબાઇ સાથે કરાવ્યા હતાં.
→ અહલ્યાબાઈના પુત્રનું નામ માલેરાવ તથા પુત્રીનું નામ મુકતાબાઈ હતું.
પ્રજાકલ્યાણના કાર્યો
→ તેમણે મંદિરો, ધર્મશાળાઓ, રસ્તાઓ, ઘાટ, કૂવાઓ, પરબો અને અન્નક્ષેત્ર જેવાં પ્રજાકલ્યાણકારી કાર્યો કર્યા હતાં.
→ ઉત્કૃષ્ટ વિચારો અને નૈતિક મૂલ્યોના આચરણને કારણે તેમને દેવીનો દરજ્જો આપવામાં આવ્યો હતો.
→ તેમણે મહેશ્વર શહેર (મધ્યપ્રદેશ)ને પોતાની રાજધાની બનાવી હતી તથા ત્યાં કાપડ ઉધોગની સ્થાપના કરી હતી.
→ તેમણે હિમાલયથી લઈ દક્ષિણ ભારત સુધી બદ્રીનાથ, કેદારનાથ, અયોધ્યા, અવંતિ, પ્રયાગરાજ, મથુરા, ઓમકારેશ્વર, ગયા, દ્વારકા, સોમનાથ, કાંચી, રામેશ્વર, કાશી વિશ્વનાથ વગેરે જેવા ઘણાં પ્રખ્યાત મંદિરોનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો.
....
→ વર્ષ 1754માં કુમ્હેરના યુદ્ધમાં અહલ્યાબાઇના પતિ ખંડેરાવનું નિધન થતાં તેમના સસરા મલ્હારરાવે તેમને સતી થતાં અટકાવ્યા હતાં.
→ વર્ષ 1766માં મલ્હારરાવનું આલમપુર ખાતે નિધન થતાં તેમના પૌત્ર અને ખંડેરાવના પુત્ર માલેરાવ હોલકર શાસક બન્યાં હતાં પરંતુ તેમનું પણ થોડા જ સમયમાં બીમારીથી મૃત્યુ થતાં અહલ્યાબાઇ માળવા રાજ્યનાં શાસક બન્યાં હતાં.
→ તેઓ એક સક્ષમ શાસક, આયોજક, બહાદુર યોદ્ધા, કુશળ તીરંદાજ અને યુદ્ધોમાં સેનાના નેતૃત્વકર્તા હતાં.
→ તુકોજીરાવ હોલ્કર (મલ્હારરાવના દત્તક પુત્ર) તેમના સેનાપતિ હતાં તેમજ મોરોપંત ખુશાલિરામ અને અનંત ફંડી તેમના દરબારી રત્નો હતાં.
→ તેમની પુણ્યતિથિના પ્રસંગે ઇન્દોરમાં દર વર્ષે અહિલ્યોત્સવ ઉજવવામાં આવે છે.
→ મુંબઇ શહેરમાં અહલ્યાબાઈ હોલ્કર ઉધાન અને મહેશ્વર શહેરમાં તેમની પ્રતિમાની સ્થાપના એ તેમની લોકપ્રિયતાની નિશાની છે.
→ અહલ્યાબાઈની સ્મૃતિમાં વર્ષ 1799માં મહેશ્વર ખાતે નર્મદા નદીના કાંઠા પર એક ઘાટ તથા અહલ્યેશ્વર મહાદેવનું મંદિર બાંધવામાં આવ્યાં હતા.
→ તેમની સ્મૃતિમાં ઇન્દોર ખાતેના એરપોર્ટને દેવી અહલ્યાબાઈ હોલ્કર એરપોર્ટ અને યુનિવર્સિટીને દેવી અહલ્યાબાઈ હોલ્કર યુનિવર્સિટી નામ આપવામાં આવ્યા છે.
→ માતોશ્રી (સુમિત્રા મહાજન), અહલ્યાબાઈ ચરિત્ર (પુરુષોત્તમ) અને કર્મયોગી (વિજયા જાગીરદાર) તેમના જીવનચરિત્ર આધારિત પુસ્તક છે.
→ ભારત સરકાર દ્વારા દર વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે (8 માર્ચ) નારી શક્તિ પુરસ્કાર અંતર્ગત હોલ્કર એવોર્ડ આપવામાં આવે છે.
→ આ ઉપરાંત તેમની સ્મૃતિમાં ભારત સરકાર દ્વારા વર્ષ 1996માં ટપાલ ટિકિટ પણ બહાર પાડવામાં આવી હતી.
0 Comments