બચેન્દ્રી પાલ | Bachendri Pal

બચેન્દ્રી પાલ
બચેન્દ્રી પાલ

માઉન્ટ એવરેસ્ટને સર કરનાર ભારતના પ્રથમ મહિલા બચેન્દ્રી પાલનો જન્મદિવસ

→ જન્મ : 24 મે 1954, (ઉતરાખંડ, નકુરી)

→ પિતા : કિશનસિંહ

→ માતા : હંસાદેવી


→ વિશ્વનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ સર કરનાર ભારતનાં સૌપ્રથમ મહિલા પર્વતારોહક બચેન્દ્રી પાલ

→ તેમણે માત્ર 12 વર્ષ ની ઉંમરે શાળાકીય પ્રવાસ દરમિયાન સૌપ્રથમ પર્વતારોહણ કર્યું હતું.

→ તેઓ ભારતના પહેલા અને વિશ્વના પાંચમા મહિલા છે જેમને માઉન્ટ એવરેસ્ટ શિખર સર કર્યું હોય.

→ તેમણે પરિવારના ઉગ્ર વિરોધ વચ્ચે પર્વતારોહણની કારકિર્દી અપનાવી નહેરૂ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માઉન્ટેનિયરિંગમાં પ્રવેશ લીધો હતો. અહીં અભ્યાસ દરમિયાન તેમણે વર્ષ 1982માં માઉન્ટ ગંગોત્રી-1 અને માઉન્ટ રુદ્રગરિયા શિખર સર કર્યા હતાં.

→ અભ્યાસ દરમિયાન તેમને મહિલાઓને પર્વતારોહણની તાલીમ આપતી સંસ્થા નેશનલ એડવેન્ચર ફાઉન્ડેશનમાં પ્રશિક્ષક તરીકે નોકરી મળી હતી.

→ વર્ષ 1984 માં ભારત સરકાર દ્વારા માઉન્ટ એવરેસ્ટ સર કરવા માટે ચોથુ અભિયાન એવરેસ્ટ 84 શરૂ કરવામાં આવ્યું હતું જેમાં તેમની પસંદગી કરવામાં આવી હતી.

→ 23 મે, 1984ના રોજ બપોરે 1 વાગીને 7 મિનિટે માઉન્ટ એવરેસ્ટ પર પગ મુકીને એક ઈતિહાસ રચ્યો અને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકર્ડ (1990)માં નામ નોંધાવ્યું હતું.

→ તેમણે એવરેસ્ટ માય જર્ની ટૂ ધ ટોપ નામનું પુસ્તક લખ્યું છે.


પુરસ્કારો

→ પદ્મશ્રી (1984)

→ અર્જુન એવોર્ડ (1986)

→ લક્ષ્મીબાઈ રાષ્ટ્રીય સન્માન (2013) (મધ્યપ્રદેશ સરકાર દ્વારા)

→ પદ્મભૂષણ (2019)



→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments