રાયચંદભાઈ રવજીભાઈ મહેતા | શ્રીમદ્ રાજચંદ્ર | Shri Raichandbhai Ravjibhai Mehta |Shrimad Rajchandra

રાયચંદભાઈ રવજીભાઈ મહેતા | શ્રીમદ્ રાજચંદ્ર
રાયચંદભાઈ રવજીભાઈ મહેતા | શ્રીમદ્ રાજચંદ્ર

→ જન્મ : 09 નવેમ્બર, 1867 (મોરબી)

→ પૂરું નામ : રાયચંદભાઈ રવજીભાઈ મહેતા

→ બિરુદ : આત્મસાધક સંસારી યોગી

→ અવસાન : 09 એપ્રિલ, 1901 (રાજકોટ)

→ સાક્ષાત્ સરસ્વતીનું બિરુદ પામનાર અને ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ શ્રીમદ્ રાજચંદ્ર

→ તેમનું જન્મ સમયનું નામ લક્ષ્મીનંદન હતું.


→ તેમના પિતા પાસેથી તેમને કૃષ્ણ ભક્તિના પદોની ભેટ મળી પરંતુ તેઓ 13 વર્ષની વયે જૈન ધર્મ તરફ આકર્ષાયા.

→ તેમણે જૈન ધર્મમાં ઉત્કૃષ્ઠ રચના ગણાતી શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની રચના કરી હતી. જેમાં ઈશ્વર વિશે જણાવ્યું છે કે કર્તા ઈશ્વર કોઈ નહિ, ઈશ્વર શુદ્ધ સ્વભાવ

→ તેમણે મહાભારત અને રામાયણની 5 હજાર કરતા પણ વધારે પધ પંક્તિઓની રચના કરી હતી.

→ તેમણે પ્રથમ કવિતા 8 વર્ષની વયે લખી જે બુદ્ધિપ્રકાશમાં પ્રકાશિત થઇ હતી.

→ તેમના અવધાનના પ્રયોગો તે સમયના ઇન્ડિયન સ્પેકટેટર અને ટાઇમ્સ ઓફ ઇન્ડિયા જેવા અખબારોમાં ફોટા સાથે પ્રસિદ્ધ થયા હતા.

→ ગાંધીજીએ તેમના વિશે લખ્યું કે મારા પર જે છાપ રાજચંદ્રે પાડી છે તેવી બીજા કોઈ નથી પાડી શક્યા, એમનાં ઘણાં વચનો મારા હૈયા સોંસરવાં ઊતરી જતાં.

→ તેઓ સૌપ્રથમવાર મોરબીના જૈન આચાર્ય શંકરલાલ મહેશ્વર ભટ્ટ પાસેથી અષ્ટાવધાનના પ્રયોગ શીખ્યા હતા. ત્યારબાદ તેમણે પોતાની જાત પર પ્રયોગ કરીને મુંબઈમાં બ્રિટીશરોની હાજરીમાં શતાવધાનનો પ્રયોગ કરી બતાવ્યો.

શતાવધાન એટલે 100 જુદી-જુદી બાબતો, ઘટના, પરિસ્થિતિ યાદ રાખીને તરત જ ફરીથી એકપણ ભૂલ કર્યા વિના રજૂ કરે તેવી આધ્યાત્મિક વિધા

→ તેમના અવસાનના આગલા દિવસે પોતાના સ્વજનને કીધેલું કે ‘તમે નિશ્ચિત રહેજો. આ આત્મા શાશ્વત છે, અવશ્ય ઊત્તમ ગતિને પ્રાપ્ત થવાનો છે. તમે શાંતિ અને સમાધિ પણે પ્રવર્તશો, પુરુષાર્થ કરશો.


સાહિત્ય સર્જન

→ મોક્ષમાળા

→ ભાવના બોધ

→ આત્મસિદ્ધિશાસ્ત્ર

→ રાજયોગ


→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments