→ બારી બહાર અને સૌંદર્યાભિમુખ કવિ તથા રંગ અને ગંધના સર્જકના ઉપનામથી જાણીતા પ્રહલાદ પારેખ
→ તેમણે માધ્યમિક શિક્ષણ ભાવનગરની દક્ષિણામૂર્તિ શાળામાં નાનાભાઇ ભક્ત અને હરભાઈ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ પૂર્ણ કર્યું હતું. ત્યારબાદ તેઓ અભ્યાસ અર્થે ગુજરાત વિધાપીઠમાં જોડાયા હતા.
→ તેમણે વર્ષ 1930માં આઝાદીની લડતમાં સક્રિય રીતે ભાગ લઈ જેલવાસ પણ ભોગવ્યો હતો.
→ તેઓ વર્ષ 1933માં શાંતિનિકેતન (કોલકત્તા) ખાતે જોડાયા ત્યાં તેમને રવીન્દ્રનાથ ટાગોરના સંપર્કથી કાવ્યસર્જનની પ્રેરણા મળી હતી.
→ તેમણે મુંબઇની મોડર્ન હાઇસ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવી હતી.
→ તેમણે કવિતા, ગધકથા, બાળવાર્તા અને બાળકાવ્ય ક્ષેત્રે સાહિત્ય સર્જન કર્યું છે.
→ તેઓનો પ્રથમ કાવ્યસંગ્રહ બારી બહાર વર્ષ 1940માં પ્રગટ થયો. જેમાં ગાંધીયુગના સાહિત્યની છાંટ જોવા મળે છે.
→ ઉમાશંકર જોશીએ તેમને આંખ, કાન અને નાકની કવિતાના કવિ કહ્યા છે અને કહ્યું છે કે પ્રહલાદ પારેખની કવિતાઓમાં નીતરાં પાણી હોવાનો ગુણ છે.
→ તેમણે મિસિસ લોરા ઇન્ગોલ્સ બાઇલ્ડરની ગધકથાનો રૂપેરી સરોવરને કિનારે અને સ્ટિફન ઝવાઈગની નવલક્થાનો અજાણીનું અંતર નામે અનુવાદ કર્યો છે.
સાહિત્ય સર્જન
→ કાવ્યસંગ્રહ : બારી બહાર (પ્રથમ કાવ્યસંગ્રહ), સરવાણી, આજ
0 Comments