→ પ્રજ્ઞાચક્ષુ, ગાંધીવાદી, પ્રકાંડપંડિતનું બિરુદ ધરાવનાર અને તત્વજ્ઞાની
→ તેઓ પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં એમની આંતરિક દ્રષ્ટિ અત્યંત વ્યાપક હતી.
→ તેમણે 16 વર્ષની ઉંમરે શીતળાના રોગના કારણે આંખો ગુમાવી હતી. ત્યારબાદ ગામમાં આવતા જૈન સાધુઓ પાસેથી તેમણે સંસ્કૃત અને જૈન શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હતો.
→ તેમણે કાશી (બનારસ) જઈ સાહિત્ય, વ્યાકરણ, દર્શનશાસ્ત્ર અને ન્યાયશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો.
→ તેમને વર્ષ 1957માં ગુજરાત યુનિવર્સિટી, 1967માં સરદાર પટેલ યુનિવસર્સિટી અને 1973માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી ડિ.લિટ.ની પદવીથી સન્માનિત કરાયા હતાં.
→ તેઓ વર્ષ 1921 થી 1930 સુધી ગુજરાત વિધાપીઠમાં અને વર્ષ 1933 થી 1944 સુધી બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં અધ્યાપક તરીકે સેવા આપી હતી.
→ તેમણે ચરિત્રકાર, નિબંધકાર અને સંપાદક તરીકે કીર્તિ પ્રાપ્ત કરી છે.
→ તેઓએ ભારતીય દર્શનશાસ્ત્ર પર મૂળભૂત વિચારણા રજૂ કરી હતી અને તત્વજ્ઞાનને શાસ્ત્રો અને ધર્મની જડ સીમાઓમાંથી મુકત કરવાનો પ્રયત્ન કયો હતો.
→ તત્વવિચારણાનું પાછળ ક્રિયાકાંડથી મુક્ત, સમન્વયદર્શી ધર્મનું સ્વરૂપ, અનુકંપા, તર્કનું સહિયારું એ તેમની વિચારણાનું મુખ્ય બળ છે. આથી તેમણે ધર્મ અને સંસ્કૃતિનું હમેશાં માનવકલ્યાણના માનદંડથી જ મૂલ્યાંકન કર્યું છે.
→ તેમને વર્ષ 1958માં તેમની કૃતિ દર્શન અને ચિંતન માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.
→ તેમણે વર્ષ 1974માં ભારત સરકાર તરફથી પદ્મભૂષણ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા.
0 Comments