→ જાણીતા સમાજસેવિકા અને મહાત્મા ગાંધીના અનુયાયી મીઠુબહેન પીટીટ
સ્વાતંત્ર્ય સંગ્રામમાં યોગદાન
→ માઇર્જી તરીકે જાણીતા મીઠુબેન વર્ષ 1922માં ગાંધીજીની ધરપકડ થતાં મુંબઇથી સુરત જઈને ખાદીનો પ્રચાર કર્યો હતો.
→ વર્ષ 1927માં ગુજરાતમાં પૂર આવ્યું ત્યારે તેમણે ખેડા જિલ્લામાં જઈને દરબાર ગોપાલદાસ અને ભક્તિબાની છાવણીમાં ખંતપૂર્વક રાહત કાર્યો કર્યા.
→ 1928ના બારડોલી સત્યાગ્રહને સફળ બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
→ ગાંધીજીએ સવિનય કાનૂનભંગ (દાંડીકૂચ)ની લોકલડત શરૂ કરી ત્યારે ગાંધીજીએ ગુજરાતની સમગ્ર સ્ત્રીઓની સંસ્થા સ્ત્રી સ્વરાજ સંઘનું સંચાલન મીઠુબહેનને સોંપ્યું હતું.
→ તેમણે મણીબહેન પટેલ, ભક્તિબા, શારદાબહેન, જ્યોત્સનાબહેન શુક્લ અને વસુબહેન ઠાકોર જેવી સ્ત્રીઓ સાથે મળીને સ્વયં સેવિકા સંઘની સ્થાપના કરી અને દારૂની દુકાનો પર પિકેટિંગ તેમજ વિદેશી કાપડની હોળી કરી હતી.
→ તેમણે મરોલી (સુરત)માં કસ્તુરબા વિવિંગ સ્કૂલ અને કસ્તુરબા સેવાશ્રમની સ્થાપના કરીને શિક્ષણ, ખાદી, વૈદકીય સારવાર પ્રવૃતિઓમાં તેઓ કાર્યરત રહ્યાં હતાં.
→ તેમણે વર્ષ 1942ની હિન્દ છોડો ની લડતમાં સક્રિય રીતે ભાગ લીધો હતો.
→ સરોજી નાયડુ દ્વારા સ્થાપિત અખિલ ભારતીય મહિલા પરિષદના ખાદી વિભાગમાં સચિવ તરીકે તેમની નિમણૂક કરવામાં આવી હતી.
→ તેમણે વર્ષ 1942માં માનસિક રોગોની હોસ્પિટલ શરૂ કરી હતી.
0 Comments