મનસુખલાલ ઝવેરી | Mansukhlal Jhaveri


મનસુખલાલ મગનલાલ ઝવેરી

→ જન્મ : ૩ ઓક્ટોબર, 1907 (જામનગર)

→ અવસાન : 27 ઓગસ્ટ, 1981 (મુંબઈ)

→ પૂરું નામ : મનસુખલાલ મગનલાલ ઝવેરી

→ ગુજરાતી સાહિત્ય જગતના સમર્થ કવિ, ઇતિહાસકાર અને વિવેચક


→ તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ જામનગર ખાતેથી લીધું હતું અને ત્યારબાદ તેમણે ભાવનગરની શામળદાસ કોલેજમાંથી ગુજરાતી અને સંસ્કૃત વિષયો સાથે M.A.ની ડિગ્રી મેળવી હતી.

→ તેમણે રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં, મુંબઇની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં અને પોરબંદરમાં ગુજરાતી વિષયના અધ્યાપક અને આચાર્ય તરીકે ફરજ બજાવી હતી.

→ તેમણે વર્ષ 1966માં ન્યૂયોર્ક ખાતે પી.ઈ.એન. કોન્ફરન્સમાં ભારતીય લેખકોનું પ્રતિનિધિત્વ કર્યુ હતું.

→ તેઓએ મુંબઇની આકાશવાણી વાર્તાલાપ વિભાગમાં સેવા આપી હતી.

→ અનંતરાય રાવળે તેમના વિશે લખ્યુ હતું કે, "સહૃદયોના ચિત્ત પર કવિ તરીકે મનસુખલાલની સમગ્રપણે પડતી છાપ એક જ વાકયમાં વર્ણવવી હોય તો કહેવાય કે તેઓ શિષ્ટ પ્રણાલિકાની પ્રકૃત્તિ કવિતાના સર્જક છે, એમના પ્રકૃતિ વર્ણનોમાં સંસ્કૃત કવિની મહેક કોઇ પણ સહૃદયથી છાની નહીં રહી શકે."

→ તેઓએ આપેલા સાહિત્યિક વ્યાખ્યાનોમાં કમળાશંકર વ્યાખ્યાન (1972), મુંબઇ વિશ્વવિધાલયમાં ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનો (1977), મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ખાતે સાંડેસરા વ્યાખ્યાન (1978)નો સમાવેશ થાય છે.

→ તેમની કવિતામાં અભિવ્યકિત કરતા વિચારશીલતા વધુ જોવા મળે છે.

→ પ્રણય અને પ્રકૃતિ તેમના સર્જનના ખાસ વિષય રહ્યા છે તેમજ તેમનું વિવેચન પંડિતયુગની પરંપરા જાળવતું સ્પષ્ટભાષી અને નિખાલસ છે.


સાહિત્ય-સર્જન

→ કાવ્યસંગ્રહ : ચંદ્રદૂત, ફૂલદોલ, આરાધના, અભિસાર, અનુભુતિ, કાવ્યસુષ્મા, ડૂમો, ઓગળ્યો

→ વિવેચન ગ્રંથો : થોડા વિવેચન લેખો, પર્યેષણા, કાવ્યવિમર્શ, અભિગમ, દ્રષ્ટિકોણ, કનૈયાલાલ મુનશી, ન્હાનાલાલ, ગોવર્ધનરામ અને ગુજરાતી સાહિત્યનું રેખાદર્શન

→ સંપાદન ગ્રંથો : દશમસ્કંધ (પ્રેમાનંદકૃત), નવી કવિતા, મારી શ્રેષ્ઠ વાર્તા, ગુજરાતી ટૂંકી વાર્તા, આપણો કવિતા વૈભવ ભાગ - 1 અને 2, આપણા ઊર્મિકાવ્યો - 1 અને 2, દયારામ, સાહિત્ય, આસ્વાદ, સાહિત્ય લહરી - 1 અને 2

→ અનુવાદ ગ્રંથો : સ્મૃતિભ્રંશ અથવા શાપિત શકુંતલા, રામ સંહિતા ભાગ - 1 અને 2, ભારત આજ અને કાલ, હેમ્લેટ, મેકબેથ, ઓથેલો

→ વ્યાકરણ ગ્રંથો : ગુજરાતી ભાષા વ્યાકરણ અને લેખન - 1, 2; ભાષા પરિચય ભાગ 1 થી 4


પંક્તિઓ


ધન અષાઢી ગાજિયો, સળકી સોનલ વીજ
દૂરે ડુંગરમાળ હોંકારો હોંશે દિયે

તને ભીખારી શાને આપવું?
દાખવી દયા શાને તારા સમા લાખો તણી આળસ પોષવી ?

ન્હોતું કશું ને અલી ! ઊઠી તું કયાંથી...

જિંદગી ! ન્હોતી ખબર કે માત્ર તું તો છે ગણિત ઓ લહેરખી!

માનવીના રે જીવન ! ઘડી અષાઢને ધાડિક ફાગણ, એક સનાતન શ્રાવણ !


→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments