ઝીણાભાઇ દેસાઇ | Jhinabhai Desai

ઝીણાભાઇ દેસાઇ
ઝીણાભાઇ દેસાઇ

→ જન્મ : 16 એપ્રિલ, 1903 (ચીખલી, નવસારી)

→ મૂળ વતન : લીમઝર, જિ. નવસારી

→ પૂરું નામ : ઝીણાભાઈ રતનજી દેસાઇ

→ અવસાનઃ 6 જાન્યુઆરી, 1991

→ બિરુદ : જીવન માંગલ્યના કવિ


→ તેઓ પ્રસિદ્ધ કવિ, નાટ્યકાર, નવલકથાકાર, ચરિત્રકાર, આત્મકથાકાર અને સંપાદક હતા.

→ ઊર્મિશીલતા, રહસ્યમયતા, લયમધુરતા અને સંગઠર્શિતા એ તેમના કાવ્યસર્જનની વિશિષતા હતી.

→ તેઓ વર્ષ 1920માં મેટ્રિકનો અભ્યાસ અધૂરો છોડી અસહકારની લડતમાં સામેલ થયા હતા.

→ તેમણે ગુજરાત વિધાપીઠમાંથી વર્ષ 1926માં રાજયશાસ્ત્ર વિષય સાથે સ્નાતકની ડિગ્રી મેળવી હતી.

→ તેઓએ વર્ષ 1926-28 દરમિયાન ગુજરાત વિધાપીઠમાં રાજયશાસ્ત્ર અને ઇતિહાસના અધ્યાપક તરીકે ફરજ બજાવી હતી.

→ તેઓ વર્ષ 1934માં મુંબઇની વિલે પારલે ની રાષ્ટ્રીય શાળામાં આચાર્ય પદે નિયુક્ત થયા હતા.

→ તેઓએ વર્ષ 1938માં અમદાવાદની શેઠ ચીમનલાલ નગીનદાસ વિધાવિહારમાં આચાર્ય અને નિયામક પદે કાર્ય કર્યુ હતું.

→ તેમણે અમદાવાદની સી.એન. વિધાલયને ઝળહળતી શિક્ષણ સંસ્થા બનાવવા પોતાનું આખું જીવન સમર્પિત કર્યું હતું.

→ તેમને વર્ષ 1961માં રાષ્ટ્રપતિ તરફથી 'શ્રેષ્ઠ શિક્ષક' તરીકેનો એવોર્ડ પ્રાપ્ત થયો હતો. આ ઉપરાંત તેમને વર્ષ 1967માં રણજીતરામ સુવર્ણચંદ્રક અને વર્ષ 1985માં નર્મદચંદ્રકથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

→ તેઓ વર્ષ 1972-73માં મદ્રાસ ખાતે ભરાયેલ ગુજરાત સાહિત્ય પરિષદના પ્રમુખ પદે રહ્યા હતા. આ ઉપરાંત તેઓ ત્રણેકવાર ગુજરાત વિધાપીઠના કાર્યકારી કુલપતિ પણ રહ્યા હતા.

→ તેઓ ગુજરાતી સાહિત્યમાં 'હાઇકુ' પ્રકારના કાવ્યો માટે ખૂબ જ લોકપ્રિય બન્યા હતા.

→ હાઈકુ એક જાપાની કાવ્ય પ્રકાર છે. જે માત્ર 17 અક્ષર (5-7-5)નું બંધારણ ધરાવે છે.

હાઇકુ ગુજરાતી ભાષાનો સૌથી નાનો સાહિત્ય પ્રકાર છે.

→ સ્નેહરશ્મિએ હાઇકુના સ્વરૂપને 'મુક્તકકલ્પ' કે 'સતરાક્ષરી' તરીકે ઓળખાવ્યું છે.


→ કવિ ઉશનસે (નટવરલાલ પંડયા) તેને 'મુક્તકમાં બોધડહાપણની ઉકિત હોઇ શકે' તરીકે ઓળખાવ્યું છે.

→ નવલકથાકાર અને કવિ કિશોરસિંહ સોલંકીએ પણ હાઈકુ અને તાંકાના મિશ્રણથી 'હાઇન્કા'નો પ્રયોગ કર્યો છે.

→ જાપાનમાં રેંગામાંથી તાંકા થયું. તાંકામાંથી હાઇકુ થયું. તાંકામાંથી 5 પંક્તિઓ હતી. જેમાં કુલ અક્ષરોની સંખ્યા ગોઠવણી 31 હતી.

→ તેમનો સૌપ્રથમ કાવ્યસંગ્રહ 'અર્ધ્ય' અને ત્યારબાદ 'પનઘટ' પ્રકાશિત થયો હતો.

ગુજરાતી સાહિત્યનું સૌપ્રથમ હાઇકુ 'સોનેરી ચાંદ રૂપેરી સૂરજ' એ સ્નેહરશ્મિનો 359 હાઇકુ અને 6 તાંકા કાવ્યો સમાવતો હાઇકુ સંગ્રહ છે.

→ 'સકલ કવિતા' એ તેમની વર્ષ 1921 થી 1984 સુધીની તમામ કાવ્યરચનાઓનો ગ્રંથ છે.


સાહિત્ય સર્જન

→ નવલકથા : અંતર પટ

→ કાવ્યસંગ્રહ : પનઘટ, અર્ધ્ય, અતીતની પાંખથી, ક્ષિતિજે જ્યાં લંબાવ્યો હાથ, નિજલીલા

→ બાળ કાવ્યસંગ્રહો : ઉજાણી, તરાપો

→ વાર્તા સંગ્રહ : તૂટેલા તાર, ગાતા આસોપાલવ, હીરાનાં લટકણિયાં, સ્વર્ગ અને પૃથ્વી (ગંધર્વ, છાયા), મોટી બહેન, શ્રીફળ, કાલાટોપી, સ્નેહરશ્મિની શ્રેષ્ઠ વાર્તાઓ

→ દીર્ઘકાવ્ય : અગ્નિસ્નાન, ઘડાતા ઇતિહાસનું એક પાનુ

→ આત્મકથા : મારી દુનિયા, સાફલ્યટાણું, ઉઘડે નવી ક્ષિતિજો

→ હાઇકુ સંગ્રહ : કેવળબીજ, સનરાઇઝ ઓન સ્નોપીક્સ



પંક્તિઓ

નમતાથી સૌ કો રીઝે, નમતાને બહું માન
સાગરને નદીઓ ભજે છોડી ઊંચા સ્થાન


ઊંચી નીચી થયા કરે જીવનની ઘટમાળ
ભરતી તેની ઓટ છે, ઓટ પછી જુવાળ

શમેના વેરથી વેર. ટળે ના પાપ પાપથી;
ઔષધ સર્વ દ:ખાનું. મૈત્રીભાવ સનાતન.


→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments