મધુસૂદન હીરાલાલ પારેખ | Madhusudan Hiralal Parekh

મધુસૂદન હીરાલાલ પારેખ
મધુસૂદન હીરાલાલ પારેખ

→ જન્મ : 14 જુલાઇ, 1923 (અમદાવાદ)

→ પૂરું નામ : મધુસૂદન હીરાલાલ પારેખ

→ મૂળ વતન : સુરત

→ ઉપનામ : પ્રિયદર્શી, કીમીયાગર, વક્રદર્શી,મધુદર્શી

→ અવસાન : 28 જાન્યુઆરી, 2023 (અમદાવાદ)

→ ગુજરાતી સાહિત્યના હાસ્યલેખક, સંશોધક અને પ્રિયદર્શીના ઉપનામથી જાણીતા


→ તેમણે વર્ષ 1945–1955 દરમિયાન અમદાવાદની ભારતી વિધાલયમાં શિક્ષક તરીકે ફરજ બજાવી હતી અને વર્ષ 1955-1983 દરમિયાન અમદાવાદની એચ. કે. આર્ટસ કોલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે ફરજ બજાવી હતી.

→ ગુજરાતના જાણીતા હાસ્યકાર વિનોદ ભટ્ટ તેમના વિધાર્થી હતા.

→ તેમણે વર્ષ 1958માં ગુજરાત યુનિવર્સિટીમાંથી ગુજરાતી નવલકથા સાહિત્યમાં પારસીઓનો ફાળો વિષય પર Ph.Dની પદવી મેળવી હતી.


સાહિત્ય ક્ષેત્રે યોગદાન

→ તેઓ વર્ષ 1961માં બુદ્ધિપ્રકાશના તંત્રી બન્યા અને વર્ષ 1974માં ગુજરાત સાહિત્ય સભાના મંત્રી બન્યા હતા.

→ તેઓ ગુજરાત સમાચારપત્ર, ગુજરાતી ટાઈમ્સ અને શ્રી વગેરે સમાચારપત્રોમાં હાસ્યલેખો લખતા હતા. જેમાંથી હું, શાણી અને ની શકરાભાઈ તેમનો બહુ જાણીતો લેખ છે.

→ અંગ્રેજી સાહિત્યના ઉદયથી મિલ્ટન સુધીના સાહિત્યના ઇતિહાસનો સરળ ગુજરાતી ભાષામાં પરિચય અપાવતો ગ્રંથ અંગ્રેજી સાહિત્યનું આચમન તેમની વિવેચન કળાનું ઉત્તમ ઉદાહરણ છે.

→ તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક (2003), કુમાર પારિતોષિક (1972), અને જ્યોતીન્દ્ર દવે પુરસ્કાર એનાયત થયો હતો.


સાહિત્ય સર્જન

નાટક: નાટ્યકુસુમો, પ્રિયદર્શીના પ્રહસનો

વાર્તાઓ : હું-શાણી અને શકરાભાઇ, સૂડી સોપારી, રવિવારની સવાર, હું-રાધા અને રાયજી, પેથાભાઈ પુરાણ, સંસ્કૃત સાહિત્યની નાટ્યકથાઓ, આપણે બધા, વિનોદાયન, શેક્સપિયરની નાટ્ય કથાઓ

વિવેચન ગ્રંથો : આવિર્ભાવ, દલપતરામ, દલપતરામ અને સ્વામિનારાયણ, અંગ્રેજી સાહિત્યનું આચમન, ગુજરાતી સાહિત્ય સભાની કાર્યવાહી

બાળસાહિત્ય : શામળ ભટ્ટની વાર્તાઓ, વૈતાલ પચીસી, સિંહાસન બત્રીસી 1-2, બુધિયાનાં પરાક્રમો, અડવાનાં પરાક્રમો, ખાટીમીઠી વાતો, બાળ પૂતળીની વાતો

અનુવાદ : અમેરિકન સમાજ, હેન્રી જેમ્સની વાર્તાઓ, અર્વાચીન ગુજરાતનું રેખા દર્શન, હિન્દુસ્તાન મધ્યનું એક ઝૂપડું


→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments