બળવંતરાય મહેતા | Balvantray Maheta

શ્રી બળવંતરાય મહેતા
શ્રી બળવંતરાય મહેતા

પંચાયતી રાજના શિલ્પી અને ગુજરાતના બીજા મુખ્યમંત્રી બળવંતરાય મહેતા

→ શ્રી બળવંતરાય મહેતાનો જન્મ ૧૯ ફેબ્રુઆરી, 1899 ના રોજ ભાવનગરમાં થયો હતો.

→ મૃત્યુ : 19 સપ્ટેમ્બર, 1965 (સુથરી ગામ, કચ્છ)

→ પિતા : ગોપાલજી મહેતા

→ પત્ની : સરોજબેન મહેતા

→ પક્ષ : ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ


→ તેમણે વર્ષ 1920માં બી.એ.ની ડિગ્રી મેળવી હતી પરંતુ તેમણે અંગ્રેજો દ્વારા અપાતી ડિગ્રી લેવાનો ઇનકાર કર્યો હતો અને લાલા લજપતરાય દ્વારા સ્થપાયેલી ભારતીય લોકસેવક મંડળ(Servants of India Society)માં જોડાયા હતા.

→ તેમણે મુખ્યમંત્રી તરીકેનો કાર્યકાળ 19 સપ્ટેમ્બર, 1963 થી 19 સપ્ટેમ્બર 1965 સુધીનો હતો.

→ તેમણે ગાંધીજીની અસહકારની ચળવળમાં પણ ભાગ લીધો અને ઠક્કરબાપાએ શરૂ કરેલી સેવામાં કાર્યમાં પણ ફાળો આપેલો.

→ ઈ.સ. 1946માં ભાવનગર રાજયની ધારાસભામાં વિરોધ પક્ષના નેતા હતા અને 13 જાન્યુઆરી, 1946ના રોજ ભાવનગર રાજ્યના મુખ્ય પ્રધાન બન્યા હતા.

→ તેમણે યુનાઈટેડ સ્ટેટસ ઓફ સૌરાષ્ટ્રમાં મંત્રી તરીકે ફરજ બજાવેલી.

→ તેઓ 1952 થી 1962 સુધી લોકસભાના સભ્ય હતા.

→ તેઓ સંસદની અંદાજ સમિતિના ચેરમેન હતા.

→ ડૉ. જીવરાજ મહેતાએ રાજીનામું આપતાં કોંગ્રેસના નિરીક્ષક લાલબહાદુર શાસ્ત્રીના નેતૃત્વ હેઠળ બળવંતરાય મહેતાની ૧૯ સપ્ટેમ્બર, ૧૯૬૩ ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નિયુકતી કરવામાં આવી.

→ લોકશાહીના સત્તાના વિકેન્દ્રીકરણ તરફી તેમના યોગદાન માટે તેમને "પંચાયતી રાજના શિલ્પી" તરીકે ઓળખવામાં આવે છે.

→ ટપાલ વિભાગ, ભારત સરકાર તરફથી 19 ફેબ્રુઆરી, 2000ના દિવસે તેમની 100મી જન્મજયંતીની ઉજવણી નિમિત્તે 3 રૂપિયાની ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી.



સ્વતંત્રતા સંગ્રામમાં યોગદાન

→ 13 એપ્રિલ, 1919ના રોજ પંજાબના અમૃતસર શહેરમાં થયેલ જલિયાવાલા બાગ હત્યાકાંડનો વિરોધ કરવા અને દેશની આઝાદી માટે તેમણે સ્વતંત્રતા સંગ્રામમાં ઝંપલાવ્યું હતુ.

→ તેમણે વર્ષ 1921માં ભાવનગર પ્રજામંડળની સ્થાપના કરી હતી.

→ તેમણે અસહયોગ આંદોલન (1920-22), નાગપુર સત્યાગ્રહ(1923), બારડોલી સત્યાગ્રહ (1928), વ્યકિતગત સત્યાગ્રહ (1940) અને હિન્દ છોડો આંદોલન (1942)માં સક્રિય રીતે ભાગ લઈ જેલવાસ પણ ભોગવ્યો હતો.

→ ઈ.સ. ૧૯૩૦માં ધોલેરામાં “મીઠાના સત્યાગ્રહ” માં ભાગ લેવા માટે બે વર્ષની તેમને જેલ ની સજા થઈ હતી.

→ ઈ.સ. ૧૯૪૨માં “હિન્દ છોડો” આંદોલનમાં તેમણે કારાવાસ ભોગવ્યો હતો.

→ વર્ષ 1948માં મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ ભાવનગરમાં જવાબદાર લોકતંત્રની સ્થાપના કરી ત્યારે ભાવનગર રાજ્યની રચના સમયે બળવંતરાય મહેતાને મુખ્યપ્રધાન બનાવવામાં આવ્યા હતાં.

→ તેમણે ભારતીય વિદ્યાભવન નામની શૈક્ષણિક સંસ્થાની સ્થાપના કરી હતી. તેઓ આઝાદી બાદ લોકસભાની અંદાજ સમિતિના ચેરમેન રહ્યાં હતાં.


ગુજરાતનાં બીજા મુખ્યમંત્રી

→ ડો. જીવરાજ મહેતાના રાજીનામા બાદ તેઓ 19 સપ્ટેમ્બર, 1963ના રોજ ગુજરાતના બીજા મુખ્યમંત્રી બન્યા હતાં.

→ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સ્થળ પસંદગી અંગે લાલભાઈ દેસાઈની અધ્યક્ષતામાં સમિતિની રચના કરવામાં આવી.

→ તેઓના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન વર્ષ 1964માં ગુજરાત રાજ્યની સ્થાપના પછીના પ્રથમ જિલ્લા તરીકે ગાંધીનગરની સ્થાપના થઈ હતી.

→ ગુજરાતની સ્થાપના સમયે 17 જિલ્લા હતા.

→ ઈ.સ. 1964માં તેમના સમય દરમિયાન ગાંધીનગર જિલ્લાની સ્થાપના થતાં ગુજરાતનાં જિલ્લાની સંખ્યા 18 થઈ હતી.

→ સૌરાષ્ટ્રમાં ભાદર, શેત્રુંજય અને દાંતીવાડા (બનાસકાંઠા) બંધનું નિમર્ણ થયું.

→ કંડલા બંદરને ફ્રી ટ્રેડ ઝોન(1965) જાહેર કરવામાં આવ્યું.

→ ધુવારણ વીજમથક (આણંદ)ની સ્થાપના કરવામાં આવી.

→ કોયલી રિફાઈનરી (વડોદરા)નું નિર્માણ કાર્ય શરૂ થયું.

→ ગુજરાત રાજ્યના દરેક જિલ્લાઓમાં GIDC (Gujarat Industrial Development Corporation)ની સ્થાપના કરવામાં આવી.

→ કચ્છ જીલ્લાના “છાડબેટ” વિસ્તારના પ્રશ્નના ઉકેલ માટે ઈ.સ. ૧૯૬૫માં ભારત અને પાકિસ્તાન યુધ્ધ દરમિયાન કચ્છ સરહદે વિમાની નિરીક્ષણે ગયેલા.

→ તેમનું નિધન 19 સપ્ટેમ્બર, 1965ના રોજ ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન કચ્છની સરહદે હવાઈ નિરીક્ષણ દરમિયાન સુથરી ગામ પાસે પાકિસ્તાની સેના દ્વારા વિમાન તોડી પાડતાં થયું હતું.

→ તેમની સ્મૃતિમાં સુથરી ગામ પાસેના ડેમને બળવંત સાગર નામ આપવામાં આવ્યું છે અને અહીં તેમનું મેમોરિયલ પણ બનાવવામાં આવ્યું છે.

ચાલુ કાર્યકાળ દરમિયાન મૃત્યુ પામનાર તેઓ પ્રથમ ગુજરાતી મુખ્યમંત્રી હતાં.


પંચાયતી રાજના શિલ્પી

→ સામૂહિક વિકાસ કાર્યક્રમ (1952) તથા રાષ્ટ્રીય વિસ્તાર સેવા (1953) યોજનાના કાર્યક્રમોનું નિરીક્ષણ કરવા માટે ભારત સરકારે જાન્યુઆરી, 1957માં સામાજિક વિકાસ માટે બળવંતરાય મહેતાની અધ્યક્ષતામાં સમિતિની રચના કરી હતી. નવેમ્બર 1957માં આ સમિતિ એ ભારત સરકારને રિપોર્ટ સોંપ્યો હતો જેમાં સત્તાના વિકેન્દ્રીકરણ માટેની ભલામણો કરવામાં આવી હતી.

→ આ સમિતિએ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયત એમ ત્રિ-સ્તરીય પંચાયતી રાજ સ્થાપવાનું સૂચન કયું હતું.

→ ગ્રામ પંચાયતની ચૂંટણી પ્રત્યક્ષ રીતે લોકો દ્વારા તથા તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી અપ્રત્યક્ષ રીતે કરવાનું સૂચવ્યું હતું.

→ ગ્રામ પંચાયતોનું વિઘટન કરતાં પહેલા જિલ્લા પંચાયતનો અભિપ્રાય લેવો.

→ તાલુકા પંચાયતે આયોજન અને વિકાસમાં કાર્યો કરવાં જોઇએ અને તેની દેખરેખ જિલ્લા પંચાયતે કરવી જોઈએ. આ રીતે જિલ્લા પંચાયત સુપરવિઝન કરનારી સંસ્થા તરીકે કાર્ય કરશે.

→ તાલુકા પંચાયત ગ્રામપંચાયતના બજેટની ચકાસણી કરશે અને તેને મંજૂરી આપશે.

→ પંચાયતને કરવેરા નાખવાની અને ઉઘરાવવાની સત્તા આપવી જોઈએ.

→ જમીન મહેસૂલની આવક પંચાયતને સ્વભંડોળમાં આપવી.

→ ગ્રામ પંચાયતને વહીવટ કરવા માટે 100% ખર્ચ આપવો જોઈએ.

→ જિલ્લા કલેકટર જિલ્લા પંચાયતના અધ્યક્ષ હોવા જોઈએ.

ગુજરાતમાં પંચાયતી રાજ સંસ્થાઓનો કાયદાકીય રીતે પ્રારંભ મુંબઈ પંચાયત અધિનિયમ, 1933થી થયો હતો.

→ ગુજરાતમાં ત્રિસ્તરીય પંચાયતી રાજની શરૂઆત 1 એપ્રિલ, 1963ના રોજ થઈ હતી.

→ અશોક મહેતા સમિતિ (1977)એ દ્રિસ્તરીય પંચાયતી રાજની ભલામણ કરી હતી. પી.કે. થુંગન સમિતિ (1988)એ પંચાયતી રાજને બંધારણીય દરજજો આપવા પર ભાર મૂકયો હતો.

→ 24 એપિલને પંચાયતીરાજ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

→ તેમની સ્મૃતિમાં ભારત સરકારના ટપાલ વિભાગ દ્વારા 17 ફેબ્રુઆરી, 2000ના રોજ તેમની 100મી જન્મજયંતીની ઉજવણી નિમિત્તે ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી.

→ આ સમિતિએ બનાવેલા અહેવાલના આધારે પંચાયતી રાજનો ખરડો લોકસભામાં પસાર થયો હતો.

→ રાષ્ટ્રીય વિકાસ પરિષદે બળવંતરાય મહેતા સમિતિની ભલામણોનો સ્વીકાર જાન્યુઆરી, 1958 માં કર્યો હતો.

→ જેના અનુસંધાને ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂએ 2 ઓકટોબર, 1959ના રોજ આ ત્રિસ્તરીય માળખાને પંચાયતી રાજ નામ આપી રાજસ્થાનના નાગૌર જિલ્લાના બગદર ગામથી ભારતની પ્રથમ ત્રિસ્તરીય પંચાયતી રાજની શરૂઆત કરી હતી.

→ આ કારણસર લોકશાહીમાં સત્તાના વિકેન્દ્રીકરણના યોગદાન બદલ બળવંતરાય મહેતાને પંચાયતી રાજના શિલ્પી તરીકે ઓળખવામાં આવે છે.


→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments