આસીમ રાંદેરી |Asim Randeri

આસીમ રાંદેરી
આસીમ રાંદેરી

→ જન્મ : 15 ઓગષ્ટ, 1904 (રાંદેર, સુરત)

→ ઉપનામ: આસીમ રાંદેરી

→ અવસાન : 6 ફેબ્રુઆરી, 2009 (સુરત)

→ પૂરું નામ : સુબેદાર મહમ્મૂહમિય મોહમ્મદ ઇમામ


→ તેમણે વર્ષ 1928-32 સુધી ઇસ્ટ આફ્રિકામાં કેન્યા ડેલી મેઇલના તંત્રી વિભાગમાં કામગીરી કરી હતી. ત્યારબાદ સ્વદેશ આવ્યા બાદ તેમણે મુંબઇમાં સ્વીડીશ મેચ કંપનીની શાખા વલ્કન ટ્રેડીંગ કંપનીમાં સેલ્સમેન તરીકે કાર્ય કર્યુ હતું.

→ તેમણે વર્ષ 1950મા લીલા માસિકની શરૂઆત કરી હતી.

→ વર્ષ 1965-71 દરમિયાન કોલંબો, આફ્રિકા, અરબસ્તાન અને મોરેશિયમ વગેરે દેશોના પ્રવાસ કરી ત્યાંની ભારતીય સંસ્થાઓમાં તેમજ ત્યાંના ટી.વી. કેન્દ્રો પર ગુજરાતી-ઉર્દૂ શાયરીઓની રજૂઆત કરી હતી.

→ તેમના ગ્રંથ નાયતવાડાની વડી જુમ્મા મસ્જિદનો પ્રાચીન ઇતિહાસ (1974)માં આઠસો વર્ષ પૂર્વે રાંદેરમાં અબસ્તાનથી આવેલ નાયત અરબોની તવારીખ અંગેનું સંશોધન રજુ થયું છે.

→ તેમને ગઝલ ક્ષેત્રે આપવામાં આવતો વલી ગુજરાતી પુરસ્કાર (2005) અને કલાપી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતાં.


સાહિત્ય સર્જન

→ કાવ્યસંગ્રહ : લીલા, શણગાર, તાપી તીરે, ચર્ચામાં નથી હોતી.



પંક્તિઓ

→ છતાં મારા જીવનમાં આજ આસીમ, વરસ બાવીસમું તે લાવું કયાંથી

→ પ્રશંસામાં નથી હોતી કે, નિંદામાં નથી હોતી, મઝા જે હોય છે ચૂપમાં, તે ચર્ચામાં નથી હોતી.

→ એક ભ્રમણા છે, હકીકતમાં સહારો ! તો નથી જેને સમજો છો, કિનારો એ કિનારો તો નથી!

→ છે હોઠ પર સ્મિતનો ચમકાર દીસતો કિંતુ કો એક જણ મારી અંદર ઉઠાસ છે.

→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments