સોમાલાલ શાહ | Somalal Shah
સોમાલાલ શાહ
સોમાલાલ શાહ
→ જન્મ : 14 ફેબ્રુઆરી 1905, કપડવંજ (ખેડા)
→ અવસાન : 1994,(અમદાવાદ)
→ રંગના રાજા તરીકે જાણીતા ચિત્રકાર
→ ગુજરાતના જાણીતા ચિત્રકાર રવિશંકર રાવળની સલાહથી સોમાલાલ શાહ વડોદરામાં વર્ષ 1926 થી 1928 સુધી પ્રમોદકુમાર ચટ્ટોપાધ્યાય પાસે કલાની તાલીમ લીધી હતી.
→ ભાવનગરના દક્ષિણામૂર્તિ લોક શાળામાં કલાશિક્ષક તરીકે સેવા આપી અને તેમને રંગના રાજા તરીકે ઓળખવામાં આવે છે.
→ જનકલ્યાણ સામયિકમાં તેમના ચિત્રો પ્રકાશિત થતાં.
→ તે પક્ષી ચિત્રો બનાવવા માટે જાણીતા હતાં.
→ ભાવનગરના નરેશ ધર્મેન્દ્રકુમાર સિંહની પ્રેરણાથી 300 જેટલા પક્ષી ચિત્રો બનાવેલા છે.
→ વીણાના મૃગ, યક્ષાકાન્તા, અહલ્યા, દેવયાની, ભયગ્રસ્ત હરણા, મેળાનો માનવી તેમના જાણીતા ચિત્રો છે.
→ સોમાલાલશાહે ચિત્રસાધના વખતે ગુજરાતનાં લોકજીવન વિષય પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.
→ જેઓ ભાવનગરમાં આવેલી આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં ચિત્રના શિક્ષક તરીકે ફરજ બજાવતા હતાં.
→ તેઓ બંગાળ-શૈલીના જાણીતા ચિત્રકાર ક્ષિતેન્દ્રનાથ મજુમદારના શિષ્ય બન્યા હતા.
→ કોલકત્તામાં તાલીમ દરમિયાન તેમનો પરિચય જાણીતા ચિત્રકાર અવનીન્દ્રનાથ ટાગોર સાથે થયો હતો.
→ તેઓ ચિત્રસર્જનની વોશ શૈલી માટે જાણીતા હતા. (વોશ શૈલી : કાગળ પર પીંછીથી રંગોનું લેપન કરી, સુકાય પછી ફરી રંગ કામ કરી ચિત્રો ઉપસાવવાની શૈલી)
પુરસ્કાર
→ વર્ષ 1949 : રણજિતરામ સુવર્ણચંદ્રક
→ વર્ષ 1968 : ગૌરવ પુરસ્કાર (લલિતકલા અકાદમી દ્વારા)
→ વર્ષ 1989 :રવિશંકર રાવળ પુરસ્કાર
0 Comments